કેમ રહેવાય કહો છાનાં?

By heenaparekh  

ભીતરના તાર સ્વયં રણઝણતા થાય

હવે કેમ રહેવાય કહો છાનાં?

ગુંજન ના હોય અને સૂરો સંભળાય

હવે કેમ રહેવાય કહો છાનાં?

દુ:ખમાંયે મુરઝાવા દીધી ના લીલપ

કે, ચહેરાઓ સ્મિત વડે દોર્યા,

જલી જલી મેળવી છે જાહોજલાલી અને

પાનખરોમાંય સદા મ્હોર્યા !

ભડભડતા દરિયા તરી નૌકા હરખાય

હવે કેમ રહેવાય કહો છાનાં?

લાગણીઓ લોહી મહીં ઘૂંટી ઘૂંટીને પછી,

ઉરના ઓરસિયે લસોટી,

કેમ રે કેવાય બધી અંદરુની વાત

થાય શબ્દોની કારમી કસોટી,

આંખોમાં નવી એક આશા છલકાય

હવે કેમ રહેવાય કહો છાનાં?

ભેદી બિહામણા સાચના તે રૂપ અમે

પેસી પાતાળ લીધાં શોધી,

કીધાં ન કોઈ દિ જે દોષ કિનખાબી અમે

થઈ બહુરૂપી લીધા ઓઢી !

બિડેલાં લોચનોથી સઘળું દેખાય

હવે કેમ રહેવાય કહો છાનાં?

(આનંદ મુનિચંદ્રજી )

Share

5 Comments

  1. Posted July 15, 2008 at 7:24 am | Permalink | Reply

    LAGNI BHARI RACHANA ! VANCHI ANE GAMI.

  2. Posted July 15, 2008 at 9:02 am | Permalink | Reply

    vaah …. khub j saras rachna ….

  3. HANIF
    Posted July 15, 2008 at 11:33 am | Permalink | Reply

    HINA BAHEN
    KHUB SHARSH RACHNA
    HANIF MALEK

  4. Posted July 15, 2008 at 4:50 pm | Permalink | Reply

    સુંદર રચના છે.

  5. Posted July 15, 2008 at 5:51 pm | Permalink | Reply

    લાગણીઓ લોહી મહીં ઘૂંટી ઘૂંટીને પછી,

    ઉરના ઓરસિયે લસોટી,

    કેમ રે કે’વાય બધી અંદરુની વાત

    થાય શબ્દોની કારમી કસોટી,

    ખુબ જ,ખુબ જ સુંદર…..

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME