શ્રધ્ધા – મહેન્દ્ર જોશી

By heenaparekh  

મા, મારા જીવતદાન માટે

ઠાકોરજીને ક્યાં સુધી ધર્યા કરીશ

આંસુઓના થાળ?

તને ખબર તો છે જ કે

બહેરી થઈ ગયેલી મારી કરોડરજ્જુમાં

ક્યારેય લીમડાની કૂંપળો ફૂટી શકી નથી

છતાંય તું બ્રાહ્મણોને મૃત્યુંજયના જપ

કરવાનું શા માટે કહે છે?

હવે તો ટેબલેટ્સ ગળવાથી પણ

જ્ઞાનતંતુમાં થીજેલા પતંગિયાઓ

ઊડી શકે તેમ નથી

ને ઊલટાના આવે છે મૃત્યુના વિચારો.

એટલે તો કહું છું કે

શીશીમાં રહી-સહી દવા ઢોળી નાખ

મને મારા લોહીના બળવાની વાસ આવે છે.

હવે બની શકે તો-

આ પલંગ પર ખેતરની માટી પાથરી દે,

માથા પરથી છત ઉડાડી દે,

આકાશને કહે-અહીં આવે

આ દીવાલોને ખસેડીને લઈ જા,

વૃક્ષોના હસતા ચહેરાઓને બોલાવી લાવ

(પ્લીઝ, ડોકટરને નહીં)

મારી પીઠ પર લગાડેલી

આ સ્ટ્રીપ્સ ઉખેડી લે,

પંખીઓને કહે-અહીં આવી બેસે,

કપાળ પરથી હઠાવી કે મીઠાનાં ભીનાં પોતાં,

શિશુઓ જેવાં વાદળોને બોલાવી લાવ-

મારા વાળમાં ભીની હથેળીઓ ફેરવે…

અને ફરી વાર કહું છું

આ ટેબલ પરની શીશીઓમાંથી-

દવા ઢોળી નાખ

ને તારાં સ્તનોનું

પહેલાંનું તાજું દૂધ પા

-કદાચ હું જીવી જઈશ!

( મહેન્દ્ર જોશી )

Share

5 Comments

  1. hemant doshi
    Posted October 5, 2008 at 9:51 pm | Permalink | Reply

    it good poem and send regular to group member
    thank you
    form hemant doshi at houston u.s.a.

  2. Bhagvanji
    Posted October 7, 2008 at 9:29 am | Permalink | Reply

    શ્રધ્ધા,

    દવા ઢોળી નાખ,ને તારાં સ્તનોનું,
    પહેલાંનું તાજું દૂધ પા,-કદાચ હું જીવી જઈશ!
    ( મહેન્દ્ર જોશી )

    strength of mother milk with all vitamins,proteins,minerals & trust ,the univesal truth.
    very very good

    Bhagvanji

  3. bhaskar parmar
    Posted October 7, 2008 at 11:18 pm | Permalink | Reply

    Superb post keep it up…!!!

  4. Posted October 8, 2008 at 3:25 pm | Permalink | Reply

    Superb post

  5. Posted October 13, 2008 at 4:34 pm | Permalink | Reply

    બહુ સરસ રચના, મને ગમી

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME