પામવા તો દે-એસ. એસ. રાહી

By heenaparekh  

તારા ઉદાસ મનમાં મને આવવા તો દે

ઈચ્છાનાં નવાં બીજ મને વાવવા તો દે


આ સ્થિર નદીને થશે રોમાંચનો અનુભવ

તારો રૂમાલ ત્યાં મને ફરકાવવા તો દે


છે યજ્ઞ પ્રણયનો અને માગે છે આહુતિ

ખોટા અહમના કાષ્ઠને પધરાવવા તો દે


મસ્જિદથી મિનારા સુધી ઝળહળ થશે બધું

મીણબત્તી ઈબાદત તણી પ્રગટાવવા તો દે


રણ ને હરણ-ઉભયની પછી લાજ રહી જશે

ખોબો ભરીને મૃગજળો ઉઘરાવવા તો દે


હું તરબતર નમાઝમાં થઈ જાઉં, એ પહેલા

રાહીના અકળ મનને કશુંક પામવા તો દે


( એસ. એસ. રાહી )

Share

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME