http://heenaparekh.com/2008/11/25/hu-evi-kshan-ni/
ના
હું એવી ક્ષણની પ્રતીક્ષામાં નથી
જ્યાં
મારી બાદબાકી થઈ જાય.
બધું જ બધું વિગલિત થયા પછીય
મારે
મારો
હું
તો જોઈએ જ.
જે
મને આ સંદર્ભસૃષ્ટિમાં ઊભો રાખે.
અન્યથા
એના વગર તો હું
કડડડભૂસ કરતો તૂટી પડું વેરવિખેર.
મારે
મારા સિવાયના
કોઈ સરવાળાની જરૂર નથી.
( લાભશંકર ઠાકર )



One Comment
લા.ઠા.ની રચના મૂકવા બદલ આભાર. ગમી.