હે કબીરા !

By heenaparekh  

રોજ મારા લોહીમાં ટહુકા કરે તે કોણ છે,

રેશમી શમણાં લઈ પગલાં ભરે તે કોણ છે.

મખમલી ચાદર વણું છું સ્નેહભીના તાંતણે,

હે કબીરા, આ ગઝલમાં અવતરે તે કોણ છે!

હું અષાઢી બીજ પર સપનાં લખું છું પ્રેમનાં,

ચાંદની રાતે નજરમાં તરવરે તે કોણ છે!

ધૂળમાં ચકલી નહાતી જોઈને સમજી જશો,

આંગણે વરસાદ માફક ઝરમરે તે કોણ છે!

કોણ તું કોણ હું છું પૂછ મા આસીફને,

રાતભર માથું નમાવી કરગરે તે કોણ છે!

( મીરા આસીફ )

Share

3 Comments

  1. Posted February 12, 2009 at 9:29 am | Permalink | Reply

    VAAH VAAH,

    મખમલી ચાદર વણું છું સ્નેહભીના તાંતણે,
    હે કબીરા, આ ગઝલમાં અવતરે તે કોણ છે!

    KHOOB SARAS RACHNA…

  2. Posted February 13, 2009 at 12:56 am | Permalink | Reply

    NICE..enjoyed !

  3. Posted February 13, 2009 at 8:30 pm | Permalink | Reply

    સરસ રચના!!
    મનના કોઈ અગમ્ય ખૂણે ખલેલ પહોંચાડે
    ને તો પણ એ ગમ્યા કરે તે કોણ છે….

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME