માણસો મરજી પ્રમાણે

By heenaparekh  

માણસો મરજી પ્રમાણે અર્થ કરતા થઈ જશે,

શક્ય છે ઈશ્વર વિષેના એ ખુલાસા થઈ જશે.

વહેમ થોડો, પ્રેમ જેવું કંઈ અપેક્ષા થઈ જશે,

બહાર તો નીકળો ઘણા એનાય રસ્તા થઈ જશે.

આપણે ભૂલી જવાની વાત કહી છૂટા પડ્યા,

આપણે છૂટા પડ્યાની વાત ભ્રમણા થઈ જશે.

બંધ હોઠો ક્યાં સુધી કહેશે નહીં દિલની વ્યથા,

જાગવાથી આંખને ફરતે કુંડાળા થઈ જશે.

છું હશુંની વાત જેવી વાત કહેવી ઠીક છે,

હા, હતાનો ખ્યાલ પણ લોકો વિસરતા થઈ જશે.

( કૈલાસ પંડિત )

Share

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME