જન્મોની તરસ

By heenaparekh  

જન્મોની તરસ

છિપાવવાની હોય એ રીતે,

પાણી પીધા પછી

ખાલી થયેલા ગ્લાસ તરફ

જોયા કરવાનો અર્થ શો?

ગ્લાસના તળિયે વધેલાં

પાણીનાં થોડાંક ટીપાં

આપણી ઉતાવળનું પરિણામ

છે કે

ઓછી થયેલી તરસનું?

હવે ઢોળી નાખીએ

તો લાગે

તરસની કિંમત નથી,

પી જઈએ તેમ છતાં

તરસ છીપવાની નથી.

એવામાં આપણે શું કરીએ?

શેષ રહેલા ટીપાંમાં

આપણા થીજેલા અસ્તિત્વ

ધીમે ધીમે પિગાળીએ

અને પી જઈએ બધા કાલખંડને

કારણ કે

જેની શરૂઆત નથી હોતી

એનો અંત ક્યાંથી હોય?




( અવિનાશ પારેખ )

Share

One Comment

  1. Posted March 16, 2009 at 1:18 am | Permalink | Reply

    there is true Vedant/phyloshphy of life in this poem
    Good message..very thoughtful poem..Enjoyed..keep it up…

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME