આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?

મિત્રો, આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?

3mistake-1

3mistake-11

અનુવાદકના બે બોલ


પ્રથમ વાર ચેતન ભગતની નવલકથા વન નાઈટ એટ કોલ સેન્ટર વાંચવાની શરૂ કરી, ત્યારે કોઈ કારણસર મજા ન પડી અને એકાદ પ્રકરણ વાંચી છોડી દીધેલ. પણ ચેતન વિશે વધુ વાંચતાં ફરી જિજ્ઞાસા જાગી અને આ નવલકથા જ હાથમાં આવી. વાંચતો ગયો તેમ ગમતી ગઈ. થ્રીલર જેવી ગતિથી આગળ વધતી હતી. પૂરી કર્યે જ છૂટકો! પછી તો બાકીની બન્ને (બીજી ફાઈવ પોઈન્ટ સમવન) પણ વાંચી અને ગમી. ત્રણે અલબત્ત અંગ્રેજીમાં જ વાંચી.


તદ્દન નવા, અપરિચિત વિષયો. કોલ સેન્ટર, આઈ. આઈ. ટી. અને ગુજરાતનું કોમી વાતાવરણ અને ધરતીકંપ. ત્રણેના પાત્રો તદ્દન યુવાન. થનગનતાં. જીવનને તદ્દન પોતાની રીતે જોતાં. બેફિકર. ભાષા પણ યુવાનોની. લેખક પર માન થાય કે આવા પ્રવર્તમાન વિષયોમાંથી વાર્તા શોધી કાઢી આવી રસપ્રદ અને લોકપ્રિય નવલકથાઓ લખી શક્યા છે. (આ નવલકથા કેટલી લોકપ્રિય છે તેની સાબિતી એ હતી કે મારા હાથમાં જ્યારે નવલ આવી ત્યારે એક જ વર્ષમાં (૨૦૦૮) તેની પાંત્રીસમી આવૃત્તિ હતી.)


ગુજરાતનું કોમી વાતાવરણ આબાદ ઝીલ્યું છે. તે જ નવલને થ્રીલર બનાવે છે. ત્રણ મિત્રોનાં પાત્રો વહાલાં લાગે તેવાં છે. વિદ્યાને તો રમાડવાનું જ મન થાય તેવી ચિત્રિત કરી છે. મામા વિષે જબરું અવલોકન છે ચેતનનું.


પણ એક વાર શરૂ કર્યા પછી પૂરી કરવાનું મન થાય તેવી નવલ તો છે જ. ચેતન તે માટે ધન્યવાદને પાત્ર છે.


[હરેશ ધોળકિયા, ન્યુ મિન્ટ રોડ, ભુજ-કચ્છ-૩૭૦૦૦૧. ફોન: (૦૨૮૩૨) ૨૨૭૯૪૬]


ચેતન ભગતના પુસ્તકો વિશે ઘણી વખત વાંચ્યું હતું. પણ તેમના પુસ્તકો વાંચવાનો મોકો મળ્યો ન્હોતો. જ્યારે મેં જાણ્યું કે ઉપરોક્ત પુસ્તકની પાંચ મહિનામાં પાંચ લાખથી વધુ નકલોનું વિક્રમી વેચાણ થયું છે ત્યારે એ નવલકથા વાંચવાની ઉત્સુકતા અને લેખકની કલમ પાસેથી અપેક્ષા વધી ગઈ. વળી જાણ્યું કે આજની યુવાન પેઢીમાં સૌથી વધુ વંચાતા લેખક છે ત્યારે નવલકથામાં એવું શું હશે એ પ્રશ્નો થતાં હતાં. એટલે જ્યારે નવલકથા મારા હાથમાં આવી મેં વિના વિલંબે વાંચી.


યુવાન વાચકોને અને ખાસ કરીને આઈ.આઈ.ટી/આઈ.આઈ.એમ. ના ગ્રેજ્યુએટ ભારતને શા માટે ચેતન ભગતની નવલક્થાઓ ગમે છે?


૧. નવલકથાના પાત્રો યુવાન છે. એટલે તમામ યુવાનો વાચકોને તેમાં રસ પડે છે.

૨. નવલકથાના પાત્રો યુવાન તો છે જ પણ સાથે સાથે સ્વપ્ન જુએ છે અને તેને પૂર્ણ કરવા માટે મંડ્યા રહે છે. સાહસ અને રોમાંચથી ભરેલા છે.

3. યુવાનોને રસ પડે તેવાં તમામ વિષયો જેવા કે ક્રિકેટ, બિઝનેસ, પ્રેમ, શારીરિક નિકટતા વગેરેને તેણે આવરી લીધા છે.

૪. નજીકના ભવિષ્યમાં બનેલી ઘટનાઓ જેવી કે ધરતીકંપ, ગોધરાકાંડ અને અનુગોધરા વગેરેને નવલકથાના પ્રવાહમાં વણી લીધા છે જેથી યુવાન વાચકોને પોતિકું લાગે છે.

૫. છેલ્લું અને મહત્વનું કારણ. જે યુવાન વાચકોએ આ નવલકથાને આટલી વધાવી છે તેઓએ આ પહેલા પોતાની માતૃભાષાની કોઈ ખાસ નવલકથા વાંચી કે જોઈ પણ નથી. આ યુવાન વર્ગના રોજિંદા વ્યવહારની ભાષા અંગ્રેજી છે. અને ચેતન ભગતની નવલકથાઓ મૂળ અંગ્રેજીમાં લખાયેલી છે. જે પહેલું મળ્યું તે વાંચ્યું અને ગમ્યું. બાકી ગુજરાતી ભાષામાં પણ કેટલી બધી ઉત્તમ નવકથાઓ લખાઈ છે. તે બધી વાંચ્યા પછી ચેતન ભગતની નવલકથા સાથે તેની સરખામણી થાય તો ખ્યાલ આવે કે માતૃભાષામાં થયેલા સર્જનો પણ ઉત્કૃષ્ટ છે. અશ્વીની ભટ્ટની આશકા માંડલ, ફાંસલો, ઓથાર, અંગાર કે આખેટ જેવી નવલકથાઓ ઉપરોક્ત નવલકથા કરતાં વધારે સારી છે એવું મારું અંગતપણે માનવું છે.


હિના પારેખ મનમૌજી


૩ મિસ્ટેક ઓફ માય લાઈફ-ચેતન ભગત, અનુવાદ: હરેશ ધોળકિયા

પ્રકાશક: આર. આર. શેઠની કંપની

કિંમત: રૂ. ૧૦૦.૦૦

Share this

7 replies on “આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?”

  1. Great, Its in gujarati too. I read english version. It will be amazing to read in gujarati.

    મારું પણ અંગતપણે માનવું છે: અશ્વીની ભટ્ટની આશકા માંડલ, ફાંસલો, ઓથાર, અંગાર કે આખેટ જેવી નવલકથાઓ ઉપરોક્ત નવલકથા કરતાં વધારે સારી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.