જ્યારથી લોકો બધા

By heenaparekh  

જ્યારથી લોકો બધા વાદે ચડ્યા ઈમેઈલના,

જોવા પણ મળતા નથી હસ્તાક્ષરો ફીમેલના.

તું હમેશાં કાલ પર ટાળે છે આખી વાતને,

આમ તું મળવાની મુદત રોજ પાછી ઠેલના.

તું હવે જોજે પવનનાં ટોળેટોળાં આવશે,

મીણબત્તીએ કરી છે સૂર્યની અવહેલના.

લોક કેછે, મોરનાં ઈંડાં ચીતરવાં ના પડે

પણ હું પૂછું છું કે, ઈંડાં મોરનાં કે ઢેલનાં.

સાવ ઘેંટાબકરાં જેવા છે ખલીલ આ માણસો,

પાંદડાં ચાવે છે એ પણ રોજ નાગરવેલનાં.


( ખલીલ ધનતેજવી )

Share

7 Comments

  1. saksharthakkar
    Posted March 18, 2009 at 7:55 am | Permalink | Reply

    લોક કે’છે, મોરનાં ઈંડાં ચીતરવાં ના પડે
    પણ હું પૂછું છું કે, ઈંડાં મોરનાં કે ઢેલનાં.

    સાવ ઘેંટાબકરાં જેવા છે ખલીલ આ માણસો,
    પાંદડાં ચાવે છે એ પણ રોજ નાગરવેલનાં.

    વાહ આ પંક્તિઓ બહુ ગમી

  2. Posted March 18, 2009 at 9:09 am | Permalink | Reply

    very nice

  3. Posted March 18, 2009 at 3:51 pm | Permalink | Reply

    આ પંક્તિઓ બહુ ગમી.

  4. Posted March 18, 2009 at 7:32 pm | Permalink | Reply

    Lovely, Vah Khalil Vah!

  5. Posted March 19, 2009 at 9:48 am | Permalink | Reply

    mind blowing thinking

  6. Posted March 19, 2009 at 10:07 am | Permalink | Reply

    તું હવે જોજે પવનનાં ટોળેટોળાં આવશે,

    મીણબત્તીએ કરી છે સૂર્યની અવહેલના.

    khuub saras

  7. Alpesh
    Posted March 28, 2009 at 9:49 am | Permalink | Reply

    સાવ ઘેંટાબકરાં જેવા છે ખલીલ આ માણસો,

    પાંદડાં ચાવે છે એ પણ રોજ નાગરવેલનાં.

    Great I like It This Lines Most

    Very Nice

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME