ન દ્વિધામાં પડ

By heenaparekh  


ન દ્વિધામાં પડ, તું વલણ લઈ નીકળ;
જીવન લઈ નીકળ યા મરણ લઈ નીકળ.


ખભે આખેઆખું ન રણ લઈ નીકળ,
હથેળીમાં એક રેતકણ લઈ નીકળ.


સંબંધોને ત્યાગી સ્મરણ લઈ નીકળ,
તું સ્પર્શોને છોડી દે, વ્રણ લઈ નીકળ.


હવાઓ જગતની ન સ્પર્શે તને,
તું તારું જ વાતાવરણ લઈ નીકળ.


વજન લઈ સમયની ગલીમાં ન જા !
તું ક્ષણ લઈ પ્રવેશી જા, ક્ષણ લઈ નીકળ.


ક્ષિતિજ પાર પહોંચ્યા ‘રઈશ’ તારા શબ્દ,
હવે તુંય પોતે ચરણ લઈ નીકળ.


( ડો. રઈશ મનીઆર )

Share

4 Comments

  1. Posted May 5, 2009 at 6:16 pm | Permalink | Reply

    સરસ વાંચ્યુ અને મજા પડી વાંચવાની
    ચાલે કામે ચઢ નટવર,એનું સ્મરણ લઇ

  2. pinke
    Posted May 7, 2009 at 1:08 pm | Permalink | Reply

    V.V.NICE

  3. Dr.Kusum Rawal
    Posted May 8, 2009 at 2:18 pm | Permalink | Reply

    GUD.

  4. Chandra
    Posted July 9, 2009 at 1:04 am | Permalink | Reply

    have tuy pote charan lai nikad,,,,
    kahakhar aanand anubhavo.
    CH@NDR@

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME