તારા રૂમાલે

By heenaparekh  

તારા રૂમાલે નક્કી ફરકવાનું હોય છે
મારે ય પછી સહેજ મલકવાનું હોય છે.

ભૂલા પડી જવાનું નથી કોઈ કારણે
મારે તો તારા ફળિયે રખડવાનું હોય છે.

શેરીની ધૂળમાં જ હું સંતાઈ જાઉં છું
ઘરમાંથી તારે જ્યારે નીકળવાનું હોય છે.

પડછયાને કશું જ નથી હોતું કામ, દોસ્ત
એને તો થોડું થોડું સરકવાનું હોય છે.

તેને ફિકર નથી કે સુખડમ્હેલ થશે રાખ
દીવાસળીએ માત્ર સળગવાનું હોય છે.

દુષ્કાળમાં એ બાળકો હરખી શકે જરા
તેથી તો વાસણોએ ખખડવાનું હોય છે.

કેદી છું ‘રાહી’ મનને હું સમજાવું કઈ રીતે
કે જેલના સળિયાએ સબડવાનું હોય છે.

( એસ. એસ. રાહી )

Share

2 Comments

  1. MANAV PATEL
    Posted June 29, 2009 at 8:52 pm | Permalink | Reply

    KHUBJ SUNDAR KAVITA , DHANYAVAD .

  2. Posted June 30, 2009 at 5:42 am | Permalink | Reply

    પડછયાને કશું જ નથી હોતું કામ, દોસ્ત
    એને તો થોડું થોડું સરકવાનું હોય છે.

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME