FUTUROLOGY

By heenaparekh  

હું ય

કોક દિ’ તો ઘરડો થઈશ ને!

પછી…………………………..

આંખે મોતિયો આવ્યો હોય તો ય

દીકરાની વહુના અવાજમાં

કેટલું હેત છે તે તો

હું જરૂર ભાળી શકીશ!

અને

મારી કરચળિયાળી ચામડીને ય

આસપાસ અટવાતા વાયરાના મનમાં શું છે

તે તો બરાબર સમજાઈ જશે!

કાને પુરું સંભળાતું ન હોય તેથી શું!

સ્વજનોની ગુસપુસ તો

મને જરૂર સંભળાશે!

અને

એક વાત કહું?

આષાઢના પ્રથમ દિવસે

જ્યારે

ધરતી પર ભીનીભીની સુગંધ વરસી પડે ત્યારે

હું ય

ઘડીભર તો

ગીતાને બાજુએ મેલીને

’મેઘદૂત’ વાંચવા મંડી પડીશ!

( ગુણવંત શાહ )

Share

3 Comments

  1. mustakbadi
    Posted July 30, 2009 at 1:19 pm | Permalink | Reply

    ખુબ જ સુંદર….!!! મારા બ્લોગની પણ મુલાકાત લેજો. http://www.mustakbadi.wordpress.com

  2. PIYUSHJI
    Posted July 30, 2009 at 11:33 pm | Permalink | Reply

    VERY GOOD DEAR

  3. Posted July 31, 2009 at 5:27 am | Permalink | Reply

    ખુબ જ સુંદર…

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME