FUTUROLOGY Jul30 હું ય કોક દિ’ તો ઘરડો થઈશ ને! પછી………………………….. આંખે મોતિયો આવ્યો હોય તો ય દીકરાની વહુના અવાજમાં કેટલું હેત છે તે તો હું જરૂર ભાળી શકીશ! અને મારી કરચળિયાળી ચામડીને ય આસપાસ અટવાતા વાયરાના મનમાં શું છે તે તો બરાબર સમજાઈ જશે! કાને પુરું સંભળાતું ન હોય તેથી શું! સ્વજનોની ગુસપુસ તો મને જરૂર સંભળાશે! અને એક વાત કહું? આષાઢના પ્રથમ દિવસે જ્યારે ધરતી પર ભીનીભીની સુગંધ વરસી પડે ત્યારે હું ય ઘડીભર તો ગીતાને બાજુએ મેલીને ’મેઘદૂત’ વાંચવા મંડી પડીશ! ( ગુણવંત શાહ )
ખુબ જ સુંદર….!!! મારા બ્લોગની પણ મુલાકાત લેજો. http://www.mustakbadi.wordpress.com
VERY GOOD DEAR
ખુબ જ સુંદર…