નહિ જાઉં સાસરિયે

By heenaparekh  

બાઈ ! મને મળ્યા મિત્ર ગોપાલ, નહિ જાઉં સાસરિયે.

સંસાર મારું સાસરું ને મહિયર વૈકુંઠવાસ;

લખચોરાશી ફેરો હતો તે મૂક્યો મેં મોહન પાસ.

સાસુ તે મારી સુકૃત કહીએ, સસરો પ્રેમ-સુજાણ;

નાવલિયો અવિનાશી વિશ્વંભર, પામી હું જીવન પ્રમાણ.

સાથી અમારા સંત સાધુ, સાધન ધીરજ ધ્યાન;

કર જોડી મીરાં વીનવે, હવે પામું ન ગર્ભાધાન.

‘લક્ષચોર્યાસી’નો ચૂડલો રે, મેં તો તજી છે તેની આશ.

એકને સબ જગ મોહી રહ્યો રે, બીજી મોહી તે બ્રહ્મપ્રમાણ.

મારી દિયરને દો દીકરી ને દોનું તે રાજકુમાર;

જેઠ જુગજુગ જીવજો રે, મારો નાવલિયો નિરધાર.

મારા સ્વામીને જઈ એમ કહેજો રે, ધીરજ ધરજો ધ્યાન;

કર જોડી મીરાંબાઈ વીનવે રે, હવે ફરી નહીં લેવું ગર્ભાધાન.


( મીરાંબાઈ )

Share

3 Comments

  1. Posted August 26, 2009 at 11:06 am | Permalink | Reply

    સુંદર પદ…

  2. Ch@ndr@
    Posted August 27, 2009 at 4:43 am | Permalink | Reply

    maara swami ne jai em kahejo re dhiraj dharjo dhyan
    kar jodi Meerabai vinave re have fari nahi levu “GARBHAADHAN”

    MEERABAI NI BHAKTI….NI VAAT SHUN KARVI….

    cH@NDR@

  3. KAILAS MAHAJAN
    Posted August 27, 2009 at 7:12 pm | Permalink | Reply

    HEENA BEN
    MEERA BAI NA PADO DAREK ANKA MA PRAKASHIT KARSHO TO DHANYA THAISHU

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME