http://heenaparekh.com/2009/08/27/ekalvayo/
મારા એકાંતમાં
ધસી રહી છે એ સભાઓ
-જેમાં હું ગયો નથી.
મારા પુણ્યમાં પ્રબળ
રહ્યાં છે એ પાપો
-જે મેં કર્યા નથી.
મારી ગતિમાં
જે વળાંકે વળ્યો ન હતો
એ તરફનો ઝોક છે.
નથી આચરી શક્યો
એવા અપરાધોના સિંદૂરથી રચાયો છે
મારી નિર્દોષતાનો અરીસો.
મને એકાંતપ્રિય માનતા મિત્રોને હવે કેમ સમજાવું,
કે હું એકલવાયો છું !
( હરીન્દ્ર દવે )



4 Comments
ક્યા બાત હૈ !
ઉમદા કવિતા…
Waah..wah.
Sapana
ARE WAAH:::
“mane ekaantpreeya maanta meetrone have kem samjavu
“KE HUN EKALWAAYO CHU”
ch@ndr@
I LIKE THIS POETRY.