મિત્રાચારી-નર્મદ

સુખદુ:ખોની વાતો બને, નહિ છાનું કંઈ કોની કને;

કોઈનું દિલ જહાં ના કહોવાય, મિત્રાચારી તહાં કહેવાય.

જાત રંગથી જે જે ભેદ, તેથી નહિ કો કોને ખેદ;

જીવ એક ને જૂજવી કાય, મિત્રાચારી તહાં કહેવાય.

સ્વાર્થ ન બીજો પ્રીતિ વના, પ્રીતિ વણ છે સહુ અનમનાં;

રાત્ર દિવસ પ્રીતિ જ જમાય, મિત્રાચારી તહાં કહેવાય.

સુખમાં દૂર પણ દુ:ખમાં પાસ, એકબીજાની પૂરે આશ;

તનમનધનથી મદદો થાય, મિત્રાચારી તહાં કહેવાય.

એક વિચારે થાયે કામ, મન વળગેલાં આઠે જામ;

વાયેક જહાં નહિ ઉથાપાય, મિત્રાચારી તહાં કહેવાય.

કર્યુઁ એકનું સહુને ગમે, કોના નહિ ભમાવ્યાં ભમે;

મિત્રનું ભૂંડું ના સંખાય, મિત્રાચારી તહાં કહેવાય.

ચડતો સહુ વાતે ભરપૂર, પડતાને ના મૂકે દૂર;

દેખેથી શમી જાયે લાય, મિત્રાચારી તહાં કહેવાય.

લાલચમાં લપટયે નહિ, જીવ જતે ના જુદા સહી;

અડીવેળાએ પ્રાણ અપાય, મિત્રાચારી તહાં કહેવાય.

દુશ્મન દોડે ચારે પાસ, ના તોડે પ્રીતિનો પાશ;

પ્રેમરસે પણ નીતિ રખાય, મિત્રાચારી તહાં કહેવાય.

જે મોઢે ચાવેલાં પાન, કાળાં થાય ન જાતે જાન;

મરણ સુધી સાચા સોહાય, મિત્રાચારી તહાં કહેવાય.

નર્મદ કહે છે સાચેસાચ, સાચી પ્રીતિ નહિ આંચ;

સાચે ભાવે ઈશ ભજાય, મિત્રાચારી તહાં કહેવાય.

( નર્મદ )

Share this

4 replies on “મિત્રાચારી-નર્મદ”

  1. maraN sudhi saacha sohaay meetrachari taha kahevaau
    “saach bhave iish bhajaay,meetra chari tahaa kahevay

    Ch@ndr@

  2. maraN sudhi saacha sohaay meetrachari taha kahevaau
    “saach bhave iish bhajaay,meetra chari tahaa kahevay

    Ch@ndr@

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.