કવિતા લખવા વિશે પ્રશ્ન

By heenaparekh  

જે ક્યારેય ખીલ્યું નથી

એ ફૂલની

કવિતા હું લખીશ.


કેવો હશે તેનો રંગ

આંખ ઓળખી શકશે?

કેવો હશે આકાર

આંગળીઓ ઉકેલી શકશે?

કેવી સુવાસ…?


હું જાણતો નથી

છતાં લોહી ધમરોળું છું

ને નખ તો દિવસે દિવસે વધતા જાય છે.

હું અડકવા જઉં છું ત્યાં

પતંગિયું પથ્થર બની જઈ

કવિતાના અક્ષર સાથે અથડાય છે.


આવા સમયમાં

જે ક્યારેય ખીલી શક્યું નથી

એ ફૂલની કવિતા

કેમ કરી લખે કોઈ?


( રાજેશ પંડ્યા )


Share

2 Comments

  1. Posted October 16, 2009 at 10:25 am | Permalink | Reply

    saras…

  2. Posted October 17, 2009 at 8:38 am | Permalink | Reply

    ખૂબ સરસ અછાંદસ…્જે ખીલ્યુ નથી એ ફૂલની કવિતા…શું કલ્પના છે..
    સપના

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME