હું સતત મરતો રહ્યો, જીવે તે કોણ છે?
આ હવાના વસ્ત્રને સીવે તે કોણ છે?
www.heenaparekh.com
પુષ્પ થૈને વૃક્ષડાળે હું ખીલી રહું;
મૂળભીનાં જળ સતત પીએ તે કોણ છે?
www.heenaparekh.com
હું મને પણ આયનામાં જોઈ ના શકું;
આંખની પાછળ રહી જુએ તે કોણ છે?
www.heenaparekh.com
હું પણછ ને હું જ પંખી, ડાળ છું અહીં;
બાણ થૈને લક્ષ્યને વીંધે તે કોણ છે?
www.heenaparekh.com
જિંદગી છે એક માયાવી હરણ સમી-
તર્જનીના ટેરવે ચીંધે તે કોણ છે?
www.heenaparekh.com
(આહમદ મકરાણી)
bahu saras…..lakhta rehjo
હું જેને હું સમજું છું તે (દેહ) પ્રતિપળ મૃત્યુ પામી રહ્યો છે, ત્યારે જે ચિરકાળ છે તે કોણ છે? હૂં તો પુષ્પ થઈને ડાળે ઝૂલું છું પણ મારી ભિતર જે રસધાર જીવનની વહી રહી છે તે રસધાર પૂરનાર કોણ છે? આયનામાં તો આંખ થકી આ દેહ જ દેખાય છે પણ મારું અસલ સ્વરુપ જે છે તે જોનાર આંખ ક્યાં છે? શિકાર પણ હું અને શિકારી પણ હું જ છું અને આ જીવન માયા છે તો સતમાર્ગ ચીધનાર (ગુરુ) કોણ છે? ક્યાં છે?
દરેક જીવ જાણતો હોય કે ન જાણતો હોય પણ દરેકની શોધ એકજ છે. પરમ સુખની કે પરમ શાંતિની. એ વાત અલગ છે કે એકને તે ધનમાં દેખાય છે બીજાને તે સુંદર સ્ત્રીમા અને ત્રિજાને તે મંદિર મસ્જીદમા કે પૂજા પાઠમાં. સત્ગુરુને આંખ ઓળખી નથી શક્તી અને આમ તેમ અથડાય કૂટાય છે. જેવી જીવની ગતી
વાહ હીનાબેન,
આજે મારા મિત્ર આહમદભાઈની સરસ ગઝલ લાવ્યા છો.
એમની ગઝલમાં પરમતત્વનો ઉલ્લેખ ઘણી ગઝલોમાં વણાતો જોયો છે.
NICE POST !
ENJOYED !!
Dr. Chandravadan Mistry (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
MANAVI & PARMESHWAR !….Nicely said in this Rachana !
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
Heenaben Hope to see you on Chandrapukar !
THANKS for sharing.