http://heenaparekh.com/2010/08/12/niyati/
કદી તો નિરંતર તરસવું પડે છે,
કદી બસ અકારણ વરસવું પડે છે
.
કદી આશરો વન મહીંયે મળે છે,
કદી ઘર મહીં પણ રઝળવું પડે છે.
.
કદી તો મળે છે બધું આપમેળે,
કદી અંશ કાજે તલખવું પડે છે.
.
કદી તો ફળે છે અનાયાસ રસ્તા,
કદી હર કદમ પર ભટકવું પડે છે.
.
કદી હર જગા હોય છે એક આસન,
કદી આસનેથી ઊથલવું પડે છે.
.
( રાકેશ બી. હાંસલિયા )



3 Comments
સરસ રચના છે ….
“”કદી આશરો વન મહીંયે મળે છે,
કદી ઘર મહીં પણ રઝરવું પડે છે.”"
મારો રાજકોટનો મિત્ર….રાકેશ હાંસલીયા,
હવે એ નવોદિત નહીં પણ પાકટ કવિ બનવા અગ્રેસર થઈ રહ્યો છે – અહીં પ્રસ્તુત ગઝલ એની સાબિતી તરીકે લઈ શકાય એવી થઈ છે.
અભિનંદન.
મજાની રચના … બધા જ શેર ગમ્યાં. રાકેશભાઈને અભિનંદન.
One Trackback
[...] This post was mentioned on Twitter by Heena Parekh, Gujarati. Gujarati said: apanu.com નિયતિ – મોરપીંછ: By હિના પારેખ http://heenaparekh.com/2010/08/12/niyati/. કદી તો નિરંતર તરસવું પડે… http://tinyurl.com/22wmhlq [...]