કોણ આપશે ?

By heenaparekh  

લયબદ્ધ વિસર્જનની વ્યથા કોણ આપશે ?

સર્જનના નામે એવી દશા કોણ આપશે ?

.

ચિક્કાર બસમાં પહેલાં ચડી જા તું અબઘડી,

વિચારજે પછી કે જગા કોણ આપશે.

.

મેં શું ગુનો કર્યો છે મને ખબર નથી,

છે એટલી ખબર કે સજા કોણ આપશે.

.

કળથી તેં બારણાં તો ઉઘાડી લીધાં છે પણ,

અંદર તને જવાની રજા કોણ આપશે ?

.

આ બોગદું કથનનું પૂરું થાય તે પછી,

મનમાં પ્રકાશવાની મજા કોણ આપશે ?

.

( અશરફ ડબાવાલા )

Share

One Comment

  1. Posted September 19, 2010 at 2:29 am | Permalink | Reply

    શ્રી અશરફભાઈની સરસ ગઝલ લાવ્યા હીનાબેન…
    બહુજ માર્મિક અને ચિક્કાર બસમાં પહેલા ચડી જવાના શેરમાં નવિન કલ્પન પણ ગમ્યું.
    અભિનંદન.

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME