યમુનાના તીરે, છલકાતાં નીરે

યમુનાના તીરે, છલકાતાં નીરે;

ભીના સમીરે ક્યાંક વાગે,

મોરલીના વેણ ક્યાંક વાગે;

મારાં સૂતાં સંભારણાં જાગે,

યમુનાને તીરે ક્યાંક વાગે

મોરલીના વેણ ક્યાંક વાગે.

.

ઊભા છે ઘાટ શ્યામ સૂરની સમાધિમાં

નીર શ્યામ નયણે નિહાળી,

યમુનાનાં વ્હેણ સંગ તાલ રે મોલાવી

ડોલે ડોલે કદમ્બની ડાળી;

મઘમઘતા સૂર મહીં મ્હેકે કસ્તૂરી મન

મૃગલો વૃંદાવનમાં ભાગે….

.

નયણામાં શ્યામ, મારા સમણામાં શ્યામ

મારી ભ્રમણામાં શ્યામ રૂપ જાગે,

બહાવરી બનીને દોડું વૃંદાવન વાટ પાય

મટકીની ઠીકરીયું વાગે;

વ્રજવનિતા વાટ મળી પૂછે થઈ બહાવરી

કે આવ્યો કહાનો શું દાન માગે?…

.

( મહેશ સોલંકી ‘બેનામ’ )

Share this

6 replies on “યમુનાના તીરે, છલકાતાં નીરે”

  1. Shri Maheshbhai,

    Krishna has always been a favourite subject for us. This one is also great and thanks for the freshness of creation.
    Jai Shri Krishna,
    kaushik

  2. Shri Maheshbhai,

    Krishna has always been a favourite subject for us. This one is also great and thanks for the freshness of creation.
    Jai Shri Krishna,
    kaushik

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.