ચાડિયો

By heenaparekh  

ખેતરમાં

માણસ આકારનો ચાડિયો જ શા માટે

.

કોઈ શિકારી બાજ અથવા

હિંસુ પશુની પ્રતિકૃતિ મૂકી શકાય

.

પણ માણસને ખબર છે કે

આમ કરવાથી પંખીઓ ડરતાં નથી

.

તેઓ બાજની પાંખ નીચે

બિલ્લીના પેટ ઉપર

કે સિંહના મોંની બખોલમાં

માળા બાંધશે

દાણા ખાશે અને ખવરાવશે

.

માણસ અને ચાડિયા વચ્ચેનો ભેદ

પંખીઓ પારખી શકતાં નથી

.

માણસ

સાપ જેમ સરકે છે

બિલ્લી જેમ લપાઈને છાપો મારે છે

બાજની જેમ ચીલઝડપ કરે છે

અને ચાડિયા જેમ

સ્થિર થઈ ઊભો રહી જાય છે.

.

( અરવિંદ ભટ્ટ )

Share

2 Comments

  1. Posted September 26, 2010 at 9:55 pm | Permalink | Reply

    this is really wsonderful poam.

  2. Posted September 26, 2010 at 11:36 pm | Permalink | Reply

    સુંદર તર્ક અને એવીજ સુંદર રીત – માણસની કેટલીક ખાસ “આવડત”ને ઉઘાડી પાડી કવિએ..!!!
    વાહ…!

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME