ખેતરમાં
માણસ આકારનો ચાડિયો જ શા માટે
.
કોઈ શિકારી બાજ અથવા
હિંસુ પશુની પ્રતિકૃતિ મૂકી શકાય
.
પણ માણસને ખબર છે કે
આમ કરવાથી પંખીઓ ડરતાં નથી
.
તેઓ બાજની પાંખ નીચે
બિલ્લીના પેટ ઉપર
કે સિંહના મોંની બખોલમાં
માળા બાંધશે
દાણા ખાશે અને ખવરાવશે
.
માણસ અને ચાડિયા વચ્ચેનો ભેદ
પંખીઓ પારખી શકતાં નથી
.
માણસ
સાપ જેમ સરકે છે
બિલ્લી જેમ લપાઈને છાપો મારે છે
બાજની જેમ ચીલઝડપ કરે છે
અને ચાડિયા જેમ
સ્થિર થઈ ઊભો રહી જાય છે.
.
( અરવિંદ ભટ્ટ )
this is really wsonderful poam.
this is really wsonderful poam.
સુંદર તર્ક અને એવીજ સુંદર રીત – માણસની કેટલીક ખાસ “આવડત”ને ઉઘાડી પાડી કવિએ..!!!
વાહ…!
સુંદર તર્ક અને એવીજ સુંદર રીત – માણસની કેટલીક ખાસ “આવડત”ને ઉઘાડી પાડી કવિએ..!!!
વાહ…!