ચાડિયો

ખેતરમાં

માણસ આકારનો ચાડિયો જ શા માટે

.

કોઈ શિકારી બાજ અથવા

હિંસુ પશુની પ્રતિકૃતિ મૂકી શકાય

.

પણ માણસને ખબર છે કે

આમ કરવાથી પંખીઓ ડરતાં નથી

.

તેઓ બાજની પાંખ નીચે

બિલ્લીના પેટ ઉપર

કે સિંહના મોંની બખોલમાં

માળા બાંધશે

દાણા ખાશે અને ખવરાવશે

.

માણસ અને ચાડિયા વચ્ચેનો ભેદ

પંખીઓ પારખી શકતાં નથી

.

માણસ

સાપ જેમ સરકે છે

બિલ્લી જેમ લપાઈને છાપો મારે છે

બાજની જેમ ચીલઝડપ કરે છે

અને ચાડિયા જેમ

સ્થિર થઈ ઊભો રહી જાય છે.

.

( અરવિંદ ભટ્ટ )

Share this

4 replies on “ચાડિયો”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.