૯
.
હે, મા ! માતાના ગર્ભની નાળમાંથી છૂટ્યા પછી અમારી એક એક ક્ષણ મરણ તરફનું ગમન હોય છે. કહો કે એ દરેક ક્ષણ તારી સાથેના મિલાપનું અવતરણ હોય છે. સંતોએ પણ કહ્યું છે કે માણસ મૃત્યુને નજર સમક્ષ રાખી જીવે તો એનું જીવતર ધન્ય બની જાય. એની ક્ષણેક્ષણ અણમોલ બની રહે. છતાં ખબર નહીં ક્યા કારણે અમે ગાફેલ રહી જીવતરની સત્યતાને વેડફી રહ્યાં છીએ.
.
સંસારની અસારતા સ્પષ્ટ છે. છતાંય એની પ્રત્યેક વસ્તુ તરફની અમારી તૃષ્ણા અને અપેક્ષાઓ અનેકગણી છે. વણ સંતોષાયેલી તૃષ્ણાઓથી જન્મતો અસંતોષ અમારા અડીખમ વિચારોને ખળભળાવી મૂકે છે ત્યારે એમાંથી જન્મતો વિખવાદ, વિવાદ અને વૈચારિક વમળોથી અમે મુંઝાઈ જઈએ છીએ અને ન કરવાનાં કૃત્યો કરી બેસીએ છીએ.
.
મા ! આ સઘળી હકીકતોથી અમે સૌ વાફેફ છીએ. છતાંય નિર્વીર્ય બની અપેક્ષાઓના અનંત આકાશમાં ઉડવા માટેના નિરર્થક પ્રયત્નો કર્યા જ કરીએ છીએ અને અંતે અમને મળે છે ઘોર નિરાશા.
.
ખરેખર તો તું જ બધાં પ્રાણીઓમાં તૃષ્ણારૂપે રહેલી છે. કેટલી સીધીસાદી વાત ! પણ અમારી સમજ ક્યાં અમારી તમામ તૃષ્ણાઓને જો તારામાં સમર્પિત કરવાની અમને શક્તિ મળી જાય તો તો મા અમારો બેડો પાર થઈ જાય.
.
દેવતાઓ પણ તારું સ્મરણ કરતાં બોલે છે
.
या देवी सर्वभूतेषु शक्तिरुपेण संस्थिता
नमस्तस्यै नमस्तस्यै नमो नम
या देवी सर्वभूतेषु तृष्णारुपेण संस्थिता
नमस्तस्यै नमस्तस्यै नमो नम
.
જે દેવી સર્વ પ્રાણીઓમાં શક્તિ (સામર્થ્ય)રૂપે રહેલી છે તેને નમસ્કાર, તેને નમસ્કાર, તેને વારંવાર નમસ્કાર.
જે દેવી સર્વ પ્રાણીઓમાં તૃષ્ણારૂપે રહેલી છે તેને નમસ્કાર, તેને નમસ્કાર તેને વારંવાર નમસ્કાર.
.
માસુમ બાળક એ બાળક છે. પછી એ મેલઘેલા કે ફાટેલાં કપડાંવાળી કોઈ માગનાર સ્ત્રીનો ખોળો ખુંદતું હોય કે કોઈ ગર્ભ શ્રીમંતની બાબાગાડીમાં હોય પણ તેની સહજતા ગમે તે પરિસ્થિતિમાં પણ લોહચુંબક જેવું આકર્ષણ જન્માવે છે.
.
મા ! અમારામાં ઉદ્દભવતી તમામ તૃષ્ણાઓ જો તને સમર્પિત કરવાની અમને શક્તિ મળી જાય કે જીવનની તમામ તૃષ્ણાઓ અને એને સંતોષવા માટે વપરાતી શક્તિ એ પણ તારું જ સ્વરૂપ છે એવી સમજ કેળવાઈ જાય તો અમારું જીવન પણ પેલા બાળકની જેમ ગમે તે પરિસ્થિતિમાં પણ આકર્ષક બની જ રહે કેમ કે ત્યારે અમારા દ્વારા થતાં તમામ કાર્યો અમારા તમામ વિચાર પાછળ તારી જ શક્તિ કામે લાગેલી હશે અને તો અમારી તૃષ્ણાઓનું રૂપાંતર સંતોષમાં થઈને જ રહેશે.
.
મા ! જગતના જીવોનું કલ્યાણ કરજે. સૌનું દુ:ખ હરજે અને અમને તારાં કાર્યો કરવા માટે નિમિત્ત બનવાની શક્તિ અર્પજે.
તમારી લખેલી સ્તુતિ ગમિ…….ભગવાન / મતાજી હમેશા તેમના ભ્ક્તનુ શારુજ ઇ્એ …. મનુશ્ય તેમના કર્મો થી જ દુખિ થતા હોય ચ્હે…..
ભ્ ગ વા ન સહુનુ ભલુ કરે,
તમારી લખેલી સ્તુતિ ગમિ…….ભગવાન / મતાજી હમેશા તેમના ભ્ક્તનુ શારુજ ઇ્એ …. મનુશ્ય તેમના કર્મો થી જ દુખિ થતા હોય ચ્હે…..
ભ્ ગ વા ન સહુનુ ભલુ કરે,