નથી જવું-ભગવતીકુમાર શર્મા

મઝારમાં જઈશ પણ બજારમાં નથી જવું;

કે મારે શ્વાસના જમા-ઉધારમાં નથી જવું.

.

હ્રદયધબકની હું હરાજી શી રીતે કરી શકું ?

કવિ છું હું, કલમના કારભારમાં નથી જવું.

.

મળે જો વાંસળી મુગટ હું શિર ઉપર નહીં ધરું;

કબમ્બછાંય છોડી રાજ્યદ્વારમાં નથી જવું.

.

રમ્યા કરીશ હું ધરાની ધૂળમાં રમ્યા કરીશ;

કદીય અપ્સરાના ઈન્તજારમાં નથી જવું.

.

ક્ષમા કરો મને કે મારો પંથ છે જરા જુદો;

મનસ્વી હું પતંગિયું, કતારમાં નથી જવું.

.

( ભગવતીકુમાર શર્મા )

Share this

3 replies on “નથી જવું-ભગવતીકુમાર શર્મા”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.