નથી જવું-ભગવતીકુમાર શર્મા

By heenaparekh  

મઝારમાં જઈશ પણ બજારમાં નથી જવું;

કે મારે શ્વાસના જમા-ઉધારમાં નથી જવું.

.

હ્રદયધબકની હું હરાજી શી રીતે કરી શકું ?

કવિ છું હું, કલમના કારભારમાં નથી જવું.

.

મળે જો વાંસળી મુગટ હું શિર ઉપર નહીં ધરું;

કબમ્બછાંય છોડી રાજ્યદ્વારમાં નથી જવું.

.

રમ્યા કરીશ હું ધરાની ધૂળમાં રમ્યા કરીશ;

કદીય અપ્સરાના ઈન્તજારમાં નથી જવું.

.

ક્ષમા કરો મને કે મારો પંથ છે જરા જુદો;

મનસ્વી હું પતંગિયું, કતારમાં નથી જવું.

.

( ભગવતીકુમાર શર્મા )

Share

One Comment

  1. Posted December 3, 2010 at 7:10 pm | Permalink | Reply

    સ્વમાનને છલકાવતી અને રસને નીતારતી ગરિમાભરી ગઝલ

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME