મઝારમાં જઈશ પણ બજારમાં નથી જવું;
કે મારે શ્વાસના જમા-ઉધારમાં નથી જવું.
.
હ્રદયધબકની હું હરાજી શી રીતે કરી શકું ?
કવિ છું હું, કલમના કારભારમાં નથી જવું.
.
મળે જો વાંસળી મુગટ હું શિર ઉપર નહીં ધરું;
કબમ્બછાંય છોડી રાજ્યદ્વારમાં નથી જવું.
.
રમ્યા કરીશ હું ધરાની ધૂળમાં રમ્યા કરીશ;
કદીય અપ્સરાના ઈન્તજારમાં નથી જવું.
.
ક્ષમા કરો મને કે મારો પંથ છે જરા જુદો;
મનસ્વી હું પતંગિયું, કતારમાં નથી જવું.
.
( ભગવતીકુમાર શર્મા )
સ્વમાનને છલકાવતી અને રસને નીતારતી ગરિમાભરી ગઝલ
સ્વમાનને છલકાવતી અને રસને નીતારતી ગરિમાભરી ગઝલ
સ્વમાનને છલકાવતી અને રસને નીતારતી ગરિમાભરી ગઝલ