મીરાં કહે છે તેમ-ફ્રેડરિક બી. કિશ્ચિયન

By heenaparekh  

મીરાં કહે છે તેમ

આપણે તો ભૈ

“ચિઠ્ઠીના ચાકર” ને

માલિકની મરજીમાં રે’વાનું

પછી ભલે ને હોય

પીડાના પહાડ

કે -

દુ:ખના દરિયા.

બસ,

આપણે તો ઉછીના શ્વાસમાં

જીવ્યા કરવાનું !

થોડાંક સુખનાં અમીછાંટણાં કરે

તો -

રાજીના રેડ થૈ ઘડીક હસવાનું !

પછી -

માલિકની ચિઠ્ઠી ફાટતાં વેંત

અહીંથી ઉચાળા ભરી જવાનું !

ને આમ જ

માલિકની મરજીમાં

બસ, આ જિંદગીમાં રહેવાનું.

મીરાં કહે છે તેમ

આપણે તો ભૈ….

.

( ફ્રેડરિક બી. કિશ્ચિયન )

Share

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME