મેં જ તો

By heenaparekh  

મેં જ તો વીંધી હતી પાની મોરપિંછધારીની !

ક્યાં કેડો છોડવાના હતા

અધર્મની ગઠરીઓ છોડી બેઠેલ

જગતના આ જથ્થાબંધ વહેવારીઓ !

જનમતાં વેંત રચાવી ભીંત રોકાવી જળ વેગ

કરાવ્યા કારસા કંઈક નંદઘેર દૂધમલ મોંએ !

સકળ જગત જેનું હતું આંગળિયાત

થતો તે મારા મહી દાણનો માગણિયાત !

મુકાવી પુણ્ય સઘળાં અંજલિમાં

કરાવ્યો જીવિત ઉત્તરાપુત્ર આખરમાં !

તો યે દેખાડી એને યાદવાસ્થળી

કરી ઋષિજનની હાંસિ, દઈ હાથતાળી !

છોડત આ જગ શું ક્યારેય તે એને

પાળત ક્યાંથી વચન એ ખુદ દીધું

’જનમવાનું યુગે યુગે !’

એટલે જ તો આજ લગે વીંધ્યા કરું છું હું

કોઈકની પાની ને કોઈકની છાતી !

.

( નિર્ઝરી મહેતા )

Share

One Comment

  1. Posted January 22, 2011 at 5:59 pm | Permalink | Reply

    કાના ના ગુણ સાથે કાના માટેની રચયિતાએ પોતાની લાગણી ખૂબજ સુંદર રીતે રચનામાં વ્યક્ત કરી છે.

    સુંદર રચના !

    આભાર !

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME