વાયરો વસંતનો – ઉશનસ

By heenaparekh  

આઘેથી અનંતથી આયો

કે કાનજી વાયરો વસંતનો;

વનરા તે વનમાં વાયો

કે કાનજી વાયરો વસંતનો.

..

લહરલહરીથી ગઈ ડાળીયે ઝૂકી,

કોકે વળી હૈયે ગડી વાળીયે મૂકી.

એક રાધીએ કીધ કાન-ફાયો.

કે કાનજી વાયરો વસંતનો.

.

જે વેદમાં ન માયો, ભેદ કોઈએ ન પાયો;

ઝંઝાશો આવ્યો તોયે જસદાનો જાયો,

એક રાધાના શ્વાસમાં સમાયો.

કે કાનજી વાયરો વસંતનો.

.

કેટલુંક વેઠે વીંધી વનરાની વાંસળી ?

કેટલુંક ઝીલે છેદી મુનિવરની પાંસળી ?

જેવો રાધામાં રૂં રૂં ફૂંકાયો ?

કે કાનજી વાયરો વસંતનો.

.

( ઉશનસ )

Share

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME