કાશ ! – ગુણવંત શાહ

By heenaparekh  

[ડો. કૈલાસ સંઘવી વ્યાખ્યાનશ્રેણી અંતર્ગત આજે સવારે ૧૦.૦૦ વાગ્યે ડો. મોંઘાભાઈ મેમોરિયલ હોલ, વલસાડ ખાતે ડો. ગુણવંત શાહનું વ્યાખ્યાન છે. આ નિમિત્તે ડો. ગુણવંત શાહની એક કવિતા આજે ખાસ પોસ્ટ કરું છું.]

.

અંધારી રાતે ચાલતી વેળા પગમાં કાંટો ભોંકાય ત્યારે

એક પગે ઊભા રહીને

બીજા પગમાંથી કાંતો કાઢતી વખતે

આકાશના તારા પર નજર ઠેરવવી

એને હું વિષાદયોગ કહું છું.

*   *

આંખમાં આંસુ ખૂટે નહીં ત્યારે

માણસ એક એવો ખભો ઝંખે

જેના પર માથું ટેકવીને નિરાંતે રડી શકાય.

આવો ખભો ન મળે ત્યારે

પોતાના ઘૂંટણ પર આંસુ સારવાં સારાં

પરંતુ

ગમે તે ખભો તો ન જ ચાલે.

Don’t waste your tears please !

*   *

રક્તદાન આપનાર અને લેનાર બે જણ

એકબીજાને ન મળે તો ય મળેલા ગણાય.

ખૂન કરનારો જેને ખતમ કરે તેને મળે છે

અને છતાંય

મળવાનું ચૂકી જાય છે.

સામી વ્યક્તિને મળવાનું માનીએ તેટલું સહેલું નથી.

કાશ ! આપણે મળી શક્યાં હોત !

.

( ગુણવંત શાહ )

Share

2 Comments

  1. praheladprajapati
    Posted February 28, 2011 at 4:20 am | Permalink | Reply

    સાહબની , ભુજ સરસ, કવિતા
    વિચારોથી મિલન
    શબ્દોથી મિલન
    નજરોથી મિલન
    સામસામે આબેહુબ મિલન
    ને કાગળ પર મિલન
    મિલન એક પ્રક્રિયા છે
    જેમો અનેક વલયો ઉદભવે છે

  2. Posted March 8, 2011 at 4:45 am | Permalink | Reply

    મનનીય ચાટુક્તિઓ!

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME