આયનો – તુરાબ હમદમ

By heenaparekh  

જેટલું કોઈ ગરજતું હોય છે,

એટલું ક્યાં એ વરસતું હોય છે.

.

કો’ક દિ આવી ચડે કોઈ સ્મરણ,

કેટલી પીડા સરજતું હોય છે.

.

એક પરપોટો હતો ફૂટી ગયો,

કોઈનું ક્યાં કંઈ ઉપજતું હોય છે.

.

જીવ નાદાની કરી લે છે કદી,

મન બધી વાતે સમજતું હોય છે.

.

આયનો એકીટશે જોયા કરે,

જો કોઈ શણગાર સજતું હોય છે.

.

આમ ઊગી નીકળી ‘હમદમ’ ગઝલ

શબ્દનું કેવું ઉપજતું હોય છે.

.

( તુરાબ હમદમ )

Share

One Comment

  1. Posted March 8, 2011 at 4:42 am | Permalink | Reply

    સરસ ગઝલ.

    આ વાંચતા જ બીજી એક ગઝલ યાદ આવી ગઈ.

    http://urmisaagar.com/saagar/?p=370

    મનને સમજાવો નહીં કે મન સમજતું હોય છે,

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME