હિમાલય હોય છે – કુમાર જૈમિનિ શાસ્ત્રી

By heenaparekh  

બસ પલળવું એ જ આશય હોય છે

કોઈ પણ આંખો જળાશય હોય છે

.

માત્ર શ્રદ્ધા પર બધો આધાર હોય છે

ક્યાં બધા પથ્થર શિવાલય હોય છે

.

જામ પેઠે ગમ બધા પીતો રહ્યો

જિંદગી જાણે સુરાલય હોય છે

.

શક્યતાનો રોજ તોડું છું બરફ

લક્ષ્ય મારું તો હિમાલય હોય છે

.

ઝંખના પણ ક્યાં સુધી કરવી ઘટે ?

આખરે એની નિયત વય હોય છે

.

( કુમાર જૈમિનિ શાસ્ત્રી )

Share

One Comment

  1. vajesinh pargi
    Posted March 16, 2011 at 12:19 pm | Permalink | Reply

    સરસ ગઝલ
    જામ પેઠે ગમ બધા પીતો રહ્યો
    જિંદગી જાણે સુરાલય હોય છે.
    વાહ।

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME