યાદના અંજળ – મીરા આસીફ

By heenaparekh  

તું મને કાગળ લખે તો, રોજ હું સજદા કરું !

યાદના  અંજળ લખે, તો રોજ હું સજદા કરું !

.

કોઈ મારા હાથમાં તડકો લખે વૈશાખનો,

તું કદી ઝાકળ લખે, તો રોજ હું સજદા કરું !

.

શું તરન્નુમ થઈ વહે છે શ્વાસની રફતારમાં ?

તું મને અટકળ લખે, તો રોજ હું સજદા કરું !

.

સાવ કોરા સ્પર્શનું આકાશ આપું છું તને,

મેઘલાં, વાદળ લખે, તો રોજ હું સજદા કરું !

.

શું થયું રણમાં રઝળતી એ અજાણી લાશનું ?

તું કથા આગળ લખે, તો રોજ હું સજદા કરું !

.

હું તને દરિયો લખીને રણ લખું આસીફને,

તું કદી મૃગજળ લખે, તો રોજ હું સજદા કરું !

.

( મીરા આસીફ )

Share

3 Comments

  1. Posted March 20, 2011 at 9:58 am | Permalink | Reply

    સરસ અભિવ્યક્તિ

  2. Posted March 20, 2011 at 10:04 am | Permalink | Reply

    કવિ મિત્ર શ્રી મીરા આસિફની આ સુંદર ગઝલમાં એક સંપૂર્ણ ગઝલમાં જોઇએ,એ બધું જ સામેલ છે અને એટલે નખશિખ નજાકતથી ભરી-ભરી છે

  3. sneha h patel
    Posted March 20, 2011 at 12:06 pm | Permalink | Reply

    speechless….what a sweet words and feelings…tuchwood…

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME