મને આજે ઊઠવાનું મન નથી થતું – નટવર ગાંધી

મને આજે ઊઠવાનું મન નથી થતું

ધારો કે આજે હું ન ઊઠ્યો તો ?

.

પહેલું એ કે બ્રેકફાસ્ટની મિટિંગ નક્કી કરેલ તે કે ન્સલ થશે.

જેની સાથે મિટિંગ નક્કી કરી છે એ “કાંઈક થયું હશે”

એમ માનીને પાછા જશે.

ભલે.

.

ઓફિસમાં સેક્રેટરી પણ “કાંઈક થયું હશે” એમ માનીને

મારી બધી એપોઈન્ટમેન્ટસ કેન્સલ કરશે.

.

ઘરે પણ “તમારી તબિયત બરાબર નથી ? એસ્પિરિન આપું ? ચા બનાવી આપું ?”

એમ પૂછીને

”આ માણસ આજે ઘરે પડ્યો છે તેનું શું કરવું ?”

તેવો વિચાર કરતી એ પણ પોતાને કામે લાગશે.

ભલે.

.

અને હું પણ “મૂકોને, કાલે કરશું” એમ કહીને

પડખું ફરી પાછો સૂઈ જઈશ.

ભલે.

.

પણ ધારો કે હું સાવ જ ન ઊઠ્યો તો ?

.

( નટવર ગાંધી )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.