મને સહેજે રહ્યો જ નહીં ખ્યાલ – અનિલ ચાવડા

By heenaparekh  

મને સહેજે રહ્યો જ નહીં ખ્યાલ

ઠૂંઠવતા જીવતરની ઉપર આવીને તમે ઓઢાડો ચાદર કે વ્હાલ ?

.

ક્યારની કરું છું હું એવી રે અટકળ કે

મ્હેંક્યા છે પુષ્પો કે શ્વાસ ?

સહેજ કરી આંખો જ્યાં બંધ અમે ત્યાં તો

સાવ નાનકડું લાગ્યું આકાશ

ગાલ ઉપર ફરતું’તું પીંછું કે પીંછા પર ફરતા’તા ગાલ ?

મને સહેજે રહ્યો જ નહીં ખ્યાલ

.

ક્યારે આવીને તમે પ્રગટાવી દીધો રે

છાતીના કોડોયામાં દીવો,

શરબતની જેમ મારા હોઠ લગી આવીને

હળવેથી બોલ્યા કે ‘પીઓ !’

શરમે રતુંબડા છે ગાલ થયા મારા કે ઊડ્યો છે સઘળે ગુલાલ ?

મને સહેજે રહ્યો જ નહીં ખ્યાલ

.

( અનિલ ચાવડા )

Share

One Comment

  1. મીનેશ
    Posted April 4, 2011 at 1:21 pm | Permalink | Reply

    વાહ વાહ, મજા આવી ગઈ

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME