જે પળે – અવિનાશ પારેખ Apr8 જે પળે સૃષ્ટિ સમષ્ટિનો અંત આવે ત્યારે- . અનરાધાર વરસતા અંધારમાં દસે દિશાઓ એકાકાર થઈને મારા શ્વાસ સાથે ડૂબી જશે પરમની શોધમાં ? . સૂરજના સામિપ્યથી પીગળતા પ્રવાહી લાવા મારી પાસે સ્મરણોની રાખ પણ નહીં છોડે ? . ક્ષણોના પરપોટામાં સેવાતા સ્વપ્નો સામટા ફૂટી જશે કિનારે આવીને ? . કે પછી ઈશ્વરનો છૂટી ગયેલો હાથ મને ફંગોળશે અનંત અવકાશમાં અશ્વત્થામાની જેમ યુગયુગની સફર માટે ? . મને આવું જ થયું છે હંમેશા તારા વિરહની એ પળે જે પળે… . ( અવિનાશ પારેખ )