જે પળે – અવિનાશ પારેખ

જે પળે

સૃષ્ટિ સમષ્ટિનો અંત આવે ત્યારે-

.

અનરાધાર વરસતા અંધારમાં

દસે દિશાઓ એકાકાર થઈને

મારા શ્વાસ સાથે ડૂબી જશે

પરમની શોધમાં ?

.

સૂરજના સામિપ્યથી

પીગળતા પ્રવાહી લાવા

મારી પાસે

સ્મરણોની રાખ પણ નહીં છોડે ?

.

ક્ષણોના પરપોટામાં

સેવાતા સ્વપ્નો

સામટા ફૂટી જશે

કિનારે આવીને ?

.

કે પછી

ઈશ્વરનો છૂટી ગયેલો હાથ

મને ફંગોળશે અનંત અવકાશમાં

અશ્વત્થામાની જેમ

યુગયુગની સફર માટે ?

.

મને આવું જ થયું છે હંમેશા

તારા વિરહની એ પળે

જે પળે…

.

( અવિનાશ પારેખ )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.