મને ડૂબતાને – સુરેશ દલાલ

By heenaparekh  

મને ડૂબતાને કોઈ ક્યારે તારી શકો.

ખૂબ થાક્યો છું થાકને ઉતારી શકો.

.

નહિ કહેવું ગમે,

નહિ જોવું ગમે,

નહિ હોવું ગમે,

નહિ હસવું ગમે,

નહિ રોવું ગમે.

.

કોઈ મારા આ થાકને સુવાડી શકો

મને તાજા કોઈ ફૂલ જેમ ઉઘાડી શકો.

.

નથી ઊભા રહેવું,

નથી ચાલવું જરી,

આંખ સામેનો રસ્તો

ભલે જાયને સરી.

.

કોઈ વેદનાને શબ જેમ ઉપાડી શકો

કોઈ મારા આ થાકને સુવાડી શકો.

.

( સુરેશ દલાલ )

Share

2 Comments

  1. Posted May 29, 2011 at 11:38 am | Permalink | Reply

    વાહ !! ખુબ સરસ કવિતા છે.

  2. Posted May 29, 2011 at 9:53 pm | Permalink | Reply

    કોઈ મારા પણ થાકને સુવાડી શકો…

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME