મહોરાં ઉતારો તો – જયા મહેતા

By heenaparekh  

મહોરાં ઉતારો તો દેખાય કદાચ

.

શિયાળનો ચહેરો

વાઘ વરુ કે લોંકડીનો ચહેરો

શ્વાન ઝરખ કે ગર્દભનો ચહેરો

.

ચહેરા તો કેટકેટલા

મહોરાં ઉતારીને જોતાં રહેવું

.

નરો વા કુંજરો વા કહ્યા પછી

ધર્મરાજ યુધિષ્ઠિરનો ચહેરો

.

એકલવ્યનો અંગૂઠો માગી લીધા પછી

ગુરુવર્ય દ્રોણાચાર્યનો ચહેરો

.

સીતાને વનમાં મૂકી આવવાની આજ્ઞા પછી

મર્યાદા પુરુષોત્તમ શ્રીરામનો ચહેરો

.

ચહેરા તો કેટકેટલા

મહોરાં ઉતારીને જોતાં રહેવું

.

કદાચ ક્યારેક દેખાઈ જાય

ભલા ભોળા માનવીનો ચહેરો

.

( જયા મહેતા )

Share

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME