મહોરાં ઉતારો તો – જયા મહેતા

મહોરાં ઉતારો તો દેખાય કદાચ

.

શિયાળનો ચહેરો

વાઘ વરુ કે લોંકડીનો ચહેરો

શ્વાન ઝરખ કે ગર્દભનો ચહેરો

.

ચહેરા તો કેટકેટલા

મહોરાં ઉતારીને જોતાં રહેવું

.

નરો વા કુંજરો વા કહ્યા પછી

ધર્મરાજ યુધિષ્ઠિરનો ચહેરો

.

એકલવ્યનો અંગૂઠો માગી લીધા પછી

ગુરુવર્ય દ્રોણાચાર્યનો ચહેરો

.

સીતાને વનમાં મૂકી આવવાની આજ્ઞા પછી

મર્યાદા પુરુષોત્તમ શ્રીરામનો ચહેરો

.

ચહેરા તો કેટકેટલા

મહોરાં ઉતારીને જોતાં રહેવું

.

કદાચ ક્યારેક દેખાઈ જાય

ભલા ભોળા માનવીનો ચહેરો

.

( જયા મહેતા )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.