આમ તો મનને – રાજેન્દ્ર શુક્લ

આમ તો મનને જ પાછું વાળવા જેવું હતું,

પગ મૂક્યા પહેલાં જ સંભાળવા જેવું હતું !

.

ધાર્યુઁ’તું કે પહોંચતાં સ્વાગત થશે, ઉત્સવ થશે,

આપણે આ ભોળપણ ઓગાળવા જેવું હતું !

.

દીપમાળાઓ બધે પ્રગટાવી તેં સારું કર્યુઁ,

પણ પ્રથમ તો આંગણું અજવાળવા જેવું હતું !

.

લે હવે અવ્યક્તનો આનંદ પણ ઓછો થયો,

હોઠ પર આવી ગયું તે ખાળવા જેવું હતું !

.

અર્થ ન્હોતો કોઈ ઈચ્છા કે કશા સંકલ્પનો,

એમને એમ જ બને તો ન્યાળવા જેવું હતું !

.

( રાજેન્દ્ર શુક્લ )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.