પાર પહોંચીને – ભરત યાજ્ઞિક

પાર પહોંચીને પ્રવાહિત થઈ જશું

પુલકમાં પ્રગટીને પુલકિત થઈ જશું

.

ક્યાં જરૂર છે અસ્ત્રની કે શસ્ત્રની ?

માત્ર દ્રષ્ટિ ફેંક ખંડિત થઈ જશું !

 .

હાથમાં મેં સાચવ્યા હસ્તાક્ષરો

સ્પર્શતાં અક્ષરમાં અંકિત થઈ જશું

 .

ઓળખાણો આ અભાગી જીવને

નેતિના નાતે પરિચિત થઈ જશું

 .

તું વિભક્તિ સાત છોડે, તો જરૂર

માત્ર સંબોધે સંબંધિત થઈ જશું

 ,

ઉત્ખનન કર મારા તું અવશેષને

જર્જરિત રૂપેય શોભિત થઈ જશું

 .

બૂમ પાડી તો સ્મરણ હાજર થયાં

યાદ કર અમને તો ગ્રંથિત થઈ જશું

 .

એ જ તો આપણી અસ્ક્યામતો

વેદના વેચો તો વંચિત થઈ જશું

 .

( ભરત યાજ્ઞિક )

Share this

6 replies on “પાર પહોંચીને – ભરત યાજ્ઞિક”

  1. શ્રી ભરત યાજ્ઞિક જેવી ગુણીયલ શખ્સિયતના જ્ઞાનની માવજત વડે સંપૂર્ણ નિખાર પામી છે ગઝલ….
    એમાંય,
    જર્જરિત રૂપે ય શોભિત થઈ જવાની વાત જ એક અલગ અસર જન્માવી ગઈ..

  2. શ્રી ભરત યાજ્ઞિક જેવી ગુણીયલ શખ્સિયતના જ્ઞાનની માવજત વડે સંપૂર્ણ નિખાર પામી છે ગઝલ….
    એમાંય,
    જર્જરિત રૂપે ય શોભિત થઈ જવાની વાત જ એક અલગ અસર જન્માવી ગઈ..

  3. वोह लैला मजनू की हो मोहब्बत, के शिरी फरहाद की हो उल्फत,
    ज़रा सी तुम जो दिखाओ हिम्मत तो हम उन जैसा नाम कर ले…

  4. वोह लैला मजनू की हो मोहब्बत, के शिरी फरहाद की हो उल्फत,
    ज़रा सी तुम जो दिखाओ हिम्मत तो हम उन जैसा नाम कर ले…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.