http://heenaparekh.com/2011/08/07/mane-suraj-ma/
૭.
હે પ્રભુ,
મને સૂરજમાં પૂરી શ્રદ્ધા છે,
ભલે તે વાદળો પાછળ ઢંકાઈ ગયો હોય.
.
મને બીજના અસ્તિત્વ વિષે
કોઈ શંકા નથી,
ભલે તે જમીન હેઠે
મારાથી અણદીઠું પડ્યું હોય.
.
મારી શ્રદ્ધા હજી પણ અડગ છે,
ભલે મને છેહના અનુભવો થયા હોય.
.
પ્રેમમાં મારો વિશ્વાસ હજી ડગ્યો નથી,
ભલે મને
કેટલીયે વાર જાકારો મળ્યો હોય.
.
અને,
ભલે તારા તરફથી
મને કોઈ અવાજ સાંભળવા ન મળ્યો હોય,
ભલે તું મૌન રહ્યો હોય,
તો પણ
મને તારામાં પૂરી શ્રદ્ધા છે.
.
૮.
હે પ્રભુ,
તું હંમેશા મારો પથદર્શક બની રહેજે.
.
હું એકલે હાથે ઝઝૂમતો હોઉં,
ત્યારેમને પૂરતું બળ આપજે.
.
હું મારી વ્યથા ભોગવતો હોઉં
ત્યારે મને સાંત્વન પૂરું પાડજે.
.
હું નાસીપાસ થઈ જાઉં
ત્યારે મારામાં શ્રદ્ધા પૂરજે.
.
મારે માટે તારા જેવો કોઈ પથદર્શક નથી,
મૂંઝવણકાળમાં મને હંમેશ દિશા ચીંધતો રહેજે.
.
( શૈલા પંડિત )



2 Comments
JUST BEAUTIFUL!!! ONE SHOULD SAY THIS EVERYDAY.
હિનાબેન,
શૈલા પંડિતની દરેક પ્રાર્થનામાં તેણે વ્યક્ત કરેલ ભાવ સરસ અને ઉત્તમ છે, પરંતુ પ્ર્રર્થાના તો હૃદયમાં જેતે સમયે જે ભાવ ઊભરે તે જ કરાય,અને તે ઉત્તમ જ હોય, ઈશ્વર ભાવના ભૂખ્યા હોય છે. કદાચ મૌન પણ પ્રાર્થનાનું એક સ્વરૂપ જ છે.
સુંદર ભાવ સાથેની પ્રાર્થના.