શરણાગતિ – રવીન્દ્રનાથ ટાગોર

By heenaparekh  

.

આજ લગી મેં તો

એનો ચહેરો ન જોયો, મહોરો ન જોયો

સાંભળી કેવળ વાંસળી

મન આપી બેઠી

પ્રાણ આપી બેઠી

સ્વીકારી લીધી મધથી મીઠી

શરણાગતિની સાંકળી.

સાંભળ્યું છે કે એ કાજળકાળો

જોવા જેવો નથી ચહેરો રૂપાળો

સખી જમુનાને જળ

ભરવા પાણી જઉં કે નહીં

એ વિચારે મનમાં ને મનમાં

હું તો થાઉં છું અરે બેબાકળી.

આંખને ખૂણે હસતો હસતો

સમણામાં એ આવ્યો હતો

એ દિવસથી પોપચાં મારાં

ખોલતી નથી ભયના માર્યા

લજ્જાં મને કરતી રહી

ચારે બાજુથી હાંફળીફાંફળી.

 .

વનને મારગ જેમને જવું હોય તે ભલે જાય

ખુશીથી

કદંબ તળે ઊભા રહી પડછાયાને ચહાય ખુશીથી

સખી ! તું જ મને કહે

આંખ ઉઘાડીને

એને મારે જોવો કે નહીં

મન મારું

ઘડીમાં ફૂલ, ઘડીમાં કળી.

 .

( રવીન્દ્રનાથ ટાગોર )

Share

One Comment

  1. Posted September 11, 2011 at 11:23 pm | Permalink | Reply

    ક્રિષ્નાથી અદભૂત વ્યક્તિત્વ વળી બીજા કોઈનું હોઈ જ ના શકે ને…!!! અતિસુંદર અભિવ્યક્તિ.

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME