.
આજ લગી મેં તો
એનો ચહેરો ન જોયો, મહોરો ન જોયો
સાંભળી કેવળ વાંસળી
મન આપી બેઠી
પ્રાણ આપી બેઠી
સ્વીકારી લીધી મધથી મીઠી
શરણાગતિની સાંકળી.
સાંભળ્યું છે કે એ કાજળકાળો
જોવા જેવો નથી ચહેરો રૂપાળો
સખી જમુનાને જળ
ભરવા પાણી જઉં કે નહીં
એ વિચારે મનમાં ને મનમાં
હું તો થાઉં છું અરે બેબાકળી.
આંખને ખૂણે હસતો હસતો
સમણામાં એ આવ્યો હતો
એ દિવસથી પોપચાં મારાં
ખોલતી નથી ભયના માર્યા
લજ્જાં મને કરતી રહી
ચારે બાજુથી હાંફળીફાંફળી.
.
વનને મારગ જેમને જવું હોય તે ભલે જાય
ખુશીથી
કદંબ તળે ઊભા રહી પડછાયાને ચહાય ખુશીથી
સખી ! તું જ મને કહે
આંખ ઉઘાડીને
એને મારે જોવો કે નહીં
મન મારું
ઘડીમાં ફૂલ, ઘડીમાં કળી.
.
( રવીન્દ્રનાથ ટાગોર )
ક્રિષ્નાથી અદભૂત વ્યક્તિત્વ વળી બીજા કોઈનું હોઈ જ ના શકે ને…!!! અતિસુંદર અભિવ્યક્તિ.
ક્રિષ્નાથી અદભૂત વ્યક્તિત્વ વળી બીજા કોઈનું હોઈ જ ના શકે ને…!!! અતિસુંદર અભિવ્યક્તિ.
ક્રિષ્નાથી અદભૂત વ્યક્તિત્વ વળી બીજા કોઈનું હોઈ જ ના શકે ને…!!! અતિસુંદર અભિવ્યક્તિ.