ઉઘાડે પગે ન અમસ્તો – સિકંદર મુલતાની

By heenaparekh  

 ઉઘાડે પગે ન અમસ્તો ચમન તરફ દોડ્યો,

ઈજન વસંતે દીધું તો સુમન તરફ દોડ્યો !

 .

બધા મુકામ નકામા થયા જો સાબિત તો,

વિહંગ-પાંખ સજી હું ગગન તરફ દોડ્યો !

 .

પ્રગટતી આગ હતી દિલ મહીં કરુણાની,

ભડકતી રાખવા જ્વાળા પવન તરફ દોડ્યો !

 .

કે મ્યાન કેમ ન તલવાર દુશ્મનોની હો ?

કલમ કરે ગ્રહીને હું કવન તરફ દોડ્યો !

 .

જવાની ગઈ… ને ઠરી-ઠામ ના થવાયું તો,

ખભે ઉપાડી હું ઘડપણ વતન તરફ દોડ્યો !

 .

કફન-દફન તણી ચિંતા નથી ‘સિકંદર’ને,

કે દેહ-દાન કરીને જીવન તરફ દોડ્યો !

 .

( સિકંદર મુલતાની )

Share

One Comment

  1. Posted September 22, 2011 at 12:41 pm | Permalink | Reply

    Good One.

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME