ઉઘાડે પગે ન અમસ્તો – સિકંદર મુલતાની

 ઉઘાડે પગે ન અમસ્તો ચમન તરફ દોડ્યો,

ઈજન વસંતે દીધું તો સુમન તરફ દોડ્યો !

 .

બધા મુકામ નકામા થયા જો સાબિત તો,

વિહંગ-પાંખ સજી હું ગગન તરફ દોડ્યો !

 .

પ્રગટતી આગ હતી દિલ મહીં કરુણાની,

ભડકતી રાખવા જ્વાળા પવન તરફ દોડ્યો !

 .

કે મ્યાન કેમ ન તલવાર દુશ્મનોની હો ?

કલમ કરે ગ્રહીને હું કવન તરફ દોડ્યો !

 .

જવાની ગઈ… ને ઠરી-ઠામ ના થવાયું તો,

ખભે ઉપાડી હું ઘડપણ વતન તરફ દોડ્યો !

 .

કફન-દફન તણી ચિંતા નથી ‘સિકંદર’ને,

કે દેહ-દાન કરીને જીવન તરફ દોડ્યો !

 .

( સિકંદર મુલતાની )

Share this

2 replies on “ઉઘાડે પગે ન અમસ્તો – સિકંદર મુલતાની”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.