હિમાલયના શૃંગો – કિશોરસિંહ સોલંકી

.

હિમાલયના શૃંગો

બરફાચ્છાદિત, એકની પાછળ એક,

અડખે પડખે, અનંત, દુર્ગમ

ઊંચા, સીધાં અને ચડવામાં અતિ દુષ્કર

એમની સામે જોઈને પામર બની જવાય છે.

 .

જેમ જેમ એમની પાસે જતા જઈએ છીએ

એનું ચઢાણ ઊંચે ને ઊંચે જતું જાય છે

ચઢાણ સીધું નથી અને શિખરો દૂર પણ નથી

ડુંગરા દૂરથી રળિયામણા લાગે છે, પણ એવા હોતા નથી.

 .

એવું જ આપણાં સપનાંઓનું હોય છે

જોવામાં સુંવાળાં અને મખમલી લાગે

જેથી લોકો એમાં રાચે-નાચે અને નશામાં રહે.

 .

આપણી ધારણા કરતાં યાત્રા ઘણી અઘરી હોય છે

અગાઉ લાગતી સરળ,એવી તો એ હોતી જ નથી.

કોઈપણ ચઢાણ ઘણું કપરું હોય છે

પણ જેમ જેમ ચડતા જઈએ, રસ્તો આપોઆપ કપાતો જાય છે.

 .

( કિશોરસિંહ સોલંકી )

Share this

4 replies on “હિમાલયના શૃંગો – કિશોરસિંહ સોલંકી”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.