જાવું રહી ગયું – સુરેન્દ્ર કડિયા

By heenaparekh  

 યાર, અનરાધાર, બેસુમાર જાવું રહી ગયું

આપણું એકાદ ઈચ્છાપાર જાવું રહી ગયું

 .

પગરવોના પગરવોની પાર પહોંચી ગ્યા પછી

 પગ ઉપાડી સહેજે ડેલી બહાર જાવું રહી ગયું

 .

ખોખલા, ખાલી અવાજોમાં જ પૂરી થઈ સફર

અનહદોની હદમાં પડઘાકાર જાવું રહી ગયું

 .

પૂર્ણતાનો કેફ જીવનભર ઉતારી ના શક્યા

અધ-મધુરા દેશ, અધ્યાહાર જાવું રહી ગયું

 .

શબ્દ-દેહે સ્થૂળગામી ઉપક્રમો કીધા સતત

અર્થ, અર્થેતરની આરોપાર જાવું રહી ગયું

 .

( સુરેન્દ્ર કડિયા )

Share

2 Comments

  1. usha
    Posted October 2, 2011 at 5:50 pm | Permalink | Reply

    સુંદર કાવ્ય માણવાનું મળ્યું…આભાર

  2. Posted October 2, 2011 at 7:39 pm | Permalink | Reply

    સાચી વાત છે…ઘણું બધું રહી ગયું છે આમ ને આમ તો…

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME