પ્રશ્નમાં ડૂબેલું – ચંદ્રેશ મકવાણા

By heenaparekh  

એ પ્રશ્નમાં ડૂબેલું સદીઓથી મારું ઘર છે

હું એકલવ્ય છું કે છું કર્ણ ક્યાં ખબર છે

 .

નીકળ્યો હતો એ ક્ષણની હળવાશ ક્યાં ગઈ ?

બદલાઈ હું ગયો કે રસ્તાની આ અસર છે

 .

જ્યાં આવતાં હવા પણ ધ્રુજે છે એ જગાએ

પગલું પડ્યું આ કોનું? કોની અવર-જવર છે

 .

અહીંયાં શું લાગણી કે, શું પ્રેમ કે, શું મમતા ?

માણસને નામે કેવળ પથ્થરનું આ નગર છે

 .

ક્યારે પૂરી થશે કે અટકી જશે અચાનક

પૂછો ન કોઈને આ આંધળી સફર છે

 .

( ચંદ્રેશ મકવાણા )

Share

3 Comments

  1. Posted October 4, 2011 at 10:45 am | Permalink | Reply

    સરસ અભિવ્યક્તિ…

  2. Posted October 4, 2011 at 5:06 pm | Permalink | Reply

    બધા માણસોના નામે પત્થરો નું નગર છે?

  3. Posted October 4, 2011 at 5:11 pm | Permalink | Reply

    ચંદ્રેશભાઈની સરસ ગઝલ પોસ્ટ કરી અહીં….
    અભિનંદન કવિને.

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME