એકલવાયું લાગે છે – નીલકંઠ વેદ

By heenaparekh  

અહીં બધું પરાયું લાગે છે

મને એકલવાયું લાગે છે

 .

આ આરસ જેવા રસ્તા

તો યે નથી ચાલવું મારે

તારા વિના જીવ આ મારો

બળી રહ્યો અત્યારે

 .

ઝૂરાપાનું ગીત ક્યાંકથી

એવું ગવાયું લાગે છે

મને એકલવાયું લાગે છે

.

સૂની નજરથી જોઉં મકાનો

જોઉં ઈમારત જૂની

દૂરથી મને વ્યાકુળ કરે

કાયા કોઈ ખુશ્બુની

.

તમે મૂકી અહીં ફરવા આવ્યો :

તારું દિલ ઘવાયું લાગે છે

મને એકલવાયું લાગે છે

 .

( નીલકંઠ વેદ )

Share

One Comment

  1. Posted October 16, 2011 at 11:17 pm | Permalink | Reply

    તારા વિના મને પણ એકલવાયું લાગે છે…!!!

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME