અહીં બધું પરાયું લાગે છે
મને એકલવાયું લાગે છે
.
આ આરસ જેવા રસ્તા
તો યે નથી ચાલવું મારે
તારા વિના જીવ આ મારો
બળી રહ્યો અત્યારે
.
ઝૂરાપાનું ગીત ક્યાંકથી
એવું ગવાયું લાગે છે
મને એકલવાયું લાગે છે
.
સૂની નજરથી જોઉં મકાનો
જોઉં ઈમારત જૂની
દૂરથી મને વ્યાકુળ કરે
કાયા કોઈ ખુશ્બુની
.
તમે મૂકી અહીં ફરવા આવ્યો :
તારું દિલ ઘવાયું લાગે છે
મને એકલવાયું લાગે છે
.
( નીલકંઠ વેદ )
તારા વિના મને પણ એકલવાયું લાગે છે…!!!
તારા વિના મને પણ એકલવાયું લાગે છે…!!!