દોષ ના આપો – ઉર્વીશ વસાવડા

નથી મંઝિલ મળી એનો ચરણને દોષ ના આપો

કશું દેખાય ના તો આવરણને દોષ ના આપો

 .

હકીકત છે તમે એકેય પણ બારી નથી ખોલી

 બધે અંધાર છે ઘરમાં કિરણને દોષ ના આપો

 .

નજર સામે પડેલું સત્ય સમજાતું નથી એને

લખ્યું વાંચી નથી શકતો અભણને દોષ ના આપો

 .

નથી સંભવ હિસાબો રાખવા વીતેલ વરસોના

ઘણું ભુલાય છે એમાં સ્મરણને દોષ ના આપો

 .

કશું ના બહારથી આવે, અનર્થો હોય છે ભીતર

મળે જો શાપ તો વાતાવરણને દોષ ના આપો

 .

ન ચેતવણી કશી, ના કૈં સમય આપે, ઉપાડી લે

ફરજ આધીન વર્તન છે મરણને દોષ ના આપો

 .

( ઉર્વીશ વસાવડા )

Share this

2 replies on “દોષ ના આપો – ઉર્વીશ વસાવડા”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.