હું અનોખો માનવી – જયંત સચદે ‘કસુંબી’

હું અનોખો માનવી છું મોતથી ડરતો નથી

જુલ્મ લાખો ભલે ને વરસે, જુલ્મથી ડરતો નથી

 .

મુસીબતોની મઝા અનોખી માનવી જીવન મહીં

હર મુસીબતોને વધાવું પાછો ફરતો નથી

 .

કંટકોથી દિલ્લગી છે, સંકટોનો સાથ છે

ગુલઝારની રંગીન ગલીઓમાં હું વિહરતો નથી

 .

આરઝુ છે લાખ દિલમાં તોય રાખું સ્વસ્થતા

કલ્પનાઓના તરંગે, હું કદી તરતો નથી

 .

વાસ્તવિકતાના ખડકથી ટક્કરો લઉં છું પણ

કાળ કેરી કયામતોથી હું કદી મરતો નથી

 .

છું ‘કસુંબી’ મસ્ત માનવ, વેરું માનવતા સુવાસ

પાપ યા તો પુણ્ય કેરા હિસાબ હું કરતો નથી

 .

( જયંત સચદે ‘કસુંબી’ )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.